22/07/2021
#મહત્વપૂર્ણ_બાબત
#2015ની સાલમાં સરકાર તરફથી સસ્તી બે વિમા યોજના બધી જ બેંકોના બચત ખાતાધારકોને આપી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (પીએમજેજેવિય) રૂ.200000/- અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (પીએમએસબીવાય )રૂ.200000/-
જેનું બહુ જ નજીવુ પ્રિમિયમ હતું.રૂ.12/- અને રૂ.330/- વાર્ષિક.
આપણાંમાંના ઘણાંએ આનું ફોર્મ ભર્યુ હશે. તેનું પ્રિમિયમ તેમના ખાતામાંથી 31/05 એ ડેબીટ પણ થતું હશે.
મને ખાત્રી છે કે કોઈએ પણ રસીદ લીધી નહીં હોય કે પોલીસી પણ માંગી નહીં હોય.
બેંકના સ્ટાફ પાસે ટાઈમ નથી અને ઈન્સુરન્સ કંપની પાસે આટલા સસ્તા પ્રિમીયમની રસીદ આપવા ઈન્ટરેસ્ટ નથી.
એક જાગ્રુત નાગરિક તરીકે કાયદેસરની રસીદ બેંક/ઈન્સુરન્સ કંપની પાસેથી લઈ આપણાં દસ્તાવેજો સાથે રાખવી જોઈએ.ભવિષ્યમાં આવનારી આફતમાં આપણાં વારસને ક્લેમ કરવામાં તકલીફ ન પડે. યોગ્ય સમયે યોગ્ય રકમ યોગ્ય વારસને મળે.
સમાજના જરૂરિયાતવાળા વ્યક્તિ માટે રૂ.200000/- બહુ મોટી રકમ છે.
હવે જેની પાસે રસીદ કે પોલીસી નથી તેણે શું કરવું ?
ગભરાવાની જરૂર નથી.દુર્ભાગ્યે જો કોઈના નજીકના સગામાં/મિત્ર વર્તુળમાં કોઈનું અવસાન થયું હોય તો બેંક પાસે 01-04 થી 31-03 નું ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુક માંગો.
રૂ.12/- અથવા રૂ.330/- ની એન્ટ્રી જોઈ,માર્ક કરો, બેંકમાં જઈ વિમો ક્લેઈમ કરો.
બહુ સાદી પ્રક્રિયા (Proceedure) છે.
આપ સૌને મારી નમ્ર વિનતિ છે કે તમારી આસપાસ આવા કેસ બન્યા હોય તો #તાત્કાલિક એવા #પીડીત કુટુંબને ફક્ત જાણકારી આપશો
જેમણે કદાચ મરણ પછી જે તે ખાતુ બંધ કરી દીધું હોય,તેવો પણ જો તે પિરીયડમાં/ સમયગાળામાં પ્રિમિયમ કપાયું હશે,તો ક્લેમ કરી શકશે.
જય ભારત..
શેર કરશો.